- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
આંખનો ફ્લૂ શું છે જાણો.
વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં હાલના સમયમાં આંખના ફ્લૂનું જોખમ ઝડપથી વધી રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આઇ ફ્લૂ ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. અચાનક આંખનાં ફ્લૂૂના કેસમાં ખુંબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે જેથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.નેત્રસ્તર દાહ આંખોમાં લાલાશ, ખંજવાળ અને સ્રાવનું કારણ બની શકે છે અને તેના પર પોપડાની રચનાને કારણે અસરગ્રસ્ત આંખને સવારે ખોલવામાં મુશ્કેલી અનુભવી શકે છે. આંખોમાં સોજો આવી શકે છે અને વ્યક્તિ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અનુભવી શકે છે. નેત્રસ્તર દાહ ઘણીવાર વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ અથવા એલર્જીને કારણે થાય છે. જો કે, તે તમારી દ્રષ્ટિને અસર કરતું નથી અને રોગની સારવાર કર્યા પછી આંખો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં આંખના ફ્લુ વિશે જાણવું જરૂરી બને છે. આંખનો ફ્લું શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ તેના વિશે જાણીશું. નિષ્ણાંત ડોક્ટર સિદ્ધાર્થ મલૈયા ની સલાહ મુજબ.
આંખનો ફ્લૂ શું છે જાણો.
આંખનો ફ્લુ એ આંખોનું ઇન્ફેકશન છે. તેને કન્જંક્ટિવાઈટિસ, ગુલાબી આંખ, લાલ આંખ પણ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને અંક આવવી તેવું પણ કહેવામાં આવે છે.
આંખનો ઇન્ફેક્શન કન્જંક્ટિવાઈટિસ સોજાનો કારણ બને છે કન્જંક્ટિવાઈટિસ એક ક્લિયર સ્તર હોય છે જે આંખના સફેદ ભાગ અને પોપચા ના આંતરિક અસ્તરને આવરી લે છે. જેમાં આંખના સફેદ ભાગ ઇન્ફેક્શન ફેલાય છે જેના કારણે દર્દીને જોવામાં મુશ્કેલી પડે છે ઇન્ફેક્શનને ઉત્પન્ન કરનાર વાયરસને કારણે તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે.
આંખનો ફ્લૂ કેવી રીતે ફેલાય છે જાણો.
આંખમાં કન્જંક્ટિવાઈટિસ હોય છે. તેને તમારા હાથથી સ્પર્શ કર્યા પછી જો તમે તે જ હાથથી બીજી આંખને સ્પર્શ કરશો તો તેમાં પણ તે થશે. જો તમે તે આ જ હાથથી અન્ય વ્યક્તિને સ્પર્શ કરો છો તો તે વ્યક્તિને પણ આઇ ફ્લૂ થવાનું જોખમ વધી જાય છે. આજ કારણથી આંખના ફૂલના કેસ ઝડપથી વધી રહ્યા છે.
બેક્ટેરિયા અને વાઇરસથી ફેલાય છે. જે અલગ અલગ કારણોસર આંખોને નુકસાન કરે છે.
કન્જંક્ટિવાઈટિસ, એડીનો, હર્પીસ, સિપલ્સ, પોલ્સ અને મિક્સોવાયરસને કારણે થાય છે. પહેલા એક આંખમાં થાય છે અને પછી થોડા દિવસોમાં તે બીજી આંખમાં પણ ફેલાઈ જાય છે.
બેક્ટેરિયલ કન્જંક્ટિવાઈટિસ બેક્ટેરિયા જે ઇમ્ફેક્ટેડ વ્યક્તિની આંખમાંથી નીકળનાર ડિસ્ચાર્જ માં થાય છે. કોઈના ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સંપર્કમાં આવવાથી ફેલાય છે.
એલર્જી કન્જંક્ટિવાઈટિસ પરાગગણ, પાલતુ જાનવર ની રસી, તોડને જે વાતની એલર્જીને કારણે થાય છે. આ કોન્ટેજિયસ એટલે સંક્રમક નથી.
કેમિકલ કન્જંક્ટિવાઈટિસ આ ધુમાડો એસિડ આલ્કલાઇન જેવા કેમિકલ આંખોમાં જવાને કારણે થાય છે.
શું કોઈની આંખોમાં જોઈથી આંખનો ફ્લૂ થઈ શકે છે ?
એક સામાન્ય ગેરસમજ છે કે આંખનો ફલૂ ફક્ત કોઈની આંખોમાં જોવાથી ફેલાય છે. જો કે, આ સંપૂર્ણ રીતે સાચું નથી. નેત્રસ્તર દાહ તરીકે પણ ઓળખાતા આંખના ફલૂ માટે પ્રસારણનો મુખ્ય માર્ગ ચેપગ્રસ્ત વ્યક્તિની આંખોમાંથી સ્રાવ સાથે સીધો સંપર્ક છે. ફક્ત કોઈની આંખોમાં જોવું એ ટ્રાન્સમિશનનું નોંધપાત્ર માધ્યમ નથી. જ્યારે તમે ચેપગ્રસ્ત વ્યક્તિની આંખના સ્ત્રાવના સંપર્કમાં આવ્યા પછી તમારી આંખોને સ્પર્શ કરો છો ત્યારે વાયરસ ફેલાઈ શકે છે.
શું આંખના ફલૂનો ચેપ હવા દ્વારા ફેલા શકે છે ?
તાજેતરના સંશોધનોએ દર્શાવ્યું છે કે આંખનો ફલૂ હવામાં ફેલાતા કણો દ્વારા પ્રસારિત થઈ શકે છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય છે, ત્યારે વાયરસ ધરાવતા શ્વસન ટીપાઓ અન્ય વ્યક્તિની આંખોના સંપર્કમાં આવી શકે છે, જે ચેપ તરફ દોરી જાય છે. જો કે પ્રત્યક્ષ એરબોર્ન ટ્રાન્સમિશન એ ફેલાવાની પ્રાથમિક પદ્ધતિ નથી, તે હવા દ્વારા સંક્રમણના જોખમને ઘટાડવા માટે માસ્ક પહેરવા અને શ્વસન સ્વચ્છતાનો અભ્યાસ કરવાના મહત્વને પ્રકાશિત કરે છે.
આંખનો ફ્લૂ કેમ અથવા શા માટે થાય છે તે જાણો.
ચોમાસામાં ઓછા તાપમાન અને વધુ ભેજને કારણે લોકોના સંપર્કમાં બેક્ટેરિયા, વાયરસ અને એલર્જી આવે છે. આ એલર્જીક પ્રતિક્રિયાઓ અને કંજક્ટિવાઈટિસ આંખના ઇન્ફેક્શનનું કારણ બને છે.
આઈ ફ્લૂ ના લક્ષણો. આ લક્ષણો આંખમાં દેખાય તો ડોક્ટર નો સંપર્ક કરવો.
સોજો
લાલાશ
બળતરા
ખંજવાળ
પાણી નીકળવું
પાંપણ ચોંટી જેવી
આંખમાં દુખાવો થવો.
કેવા લોકોને આંખનો ફ્લૂ થઈ શકે છે જાણો.
કોઈપણ વ્યક્તિને આંખનો ફ્લૂ થઈ શકે છે, પરંતુ એલર્જી વાળા દર્દીઓ, વૃદ્ધ લોકો, બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આઇ ફ્લૂ થવાનું જોખમ વધુ હોય છે.
કોઈપણ વ્યક્તિને કન્જંક્ટિવાઈટિસ થયો હોય અને તેની આંખમાં આંખ મિલાવીને જોઈએ તો તે થતો નથી, આ ઈન્ફેક્શન કોઈને આંખમાં જોવાથી નથી થતો, તે ફ્લૂના સીધા સંપર્કમાં આવવા થી જ ફેલાય છે.
કન્જંક્ટિવાઈટિસ દર્દીના મેકઅપ કેજલ, આઈ લાઈનર, ટુવાલનો ઉપયોગ કરવાથી આઇફ્લૂ નો ચેપ લાગી શકે છે.
આંખમાં ખંજવાળ કે સોજો આવે એટલે કન્જંક્ટિવાઈટિસ હોઈ શકે છે, આવી સ્થિતિમાં ને સ્પર્શ કરવાથી બીજી આંખમાં પણ છે લાગી શકે છે. જેથી વારંવાર સ્પર્શ કે ખંજવાળવું નહીં.
આઇ ફ્લૂ થી કેવી રીતે બચવું જાણો.
- આંખને વારંવાર સ્પર્શ કરવાથી બચો, આંખને ખંજવાળવું નહીં.
- આંખમાંથી આશું નીકળે તો રૂમાલ થી લૂંચવું.
- આંખમાં બીજા કોઈએ વાપરેલો મેકઅપ ન લગાવવો.
- દિવસમાં બે ત્રણ વાર ગરમ રૂમાલથી આંખો સાફ કરો.
- બહાર નીકળો ત્યારે ચશ્મા લગાવીને જ નીકળો.
- હાથને સમયે સમયે સેનિટાઇઝ કરતા રહો.
- કોન્ટેક્ટ લેન્સ ન પહેરો.
- દિવસમાં ચોખ્ખું પાણી આંખમાં બે ત્રણ વાર છાંટવું.
- જાહેર સ્થળો અને સ્વિમિંગ પૂલમાં જવાથી બચો.
- દિવસમાં એકવાર ગુલાબજળ ના બે બે ટીપા આંખમાં નાખો.
- આંખમાં કોઈ સમસ્યા હોય તો ડોકટરનો સંપર્ક કરવો જાતે ઈલાજ કરવો નહીં.
આંખનો ફ્લૂ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે પરંતુ જો કોઈ ગંભીર સ્થિતિ હોય તો તે 10 થી 14 દિવસ અથવા એક મહિના સુધી પણ રહી શકે છે.
Comments
Post a Comment