Featured post

Seeds harmful to health આ ફળના બીજ ખાવાથી થઈ શકો છો બિમાર.


Seeds harmful to health.



સ્વસ્થ રહેવું કોને ન ગમે, સ્વસ્થ રહેવા માટે ઘણા લોકો આહારમાં અલગ અલગ શાકભાજી અને ફળનો ઉપયોગ કરે છે. ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે ભૂલથી અમુક ફળોના બીજ ગળી લો અથવા ખાઈ લો તો તે ઝેરનું કામ પણ કરી શકે છે. જેમાંથી કેટલાક ફળ ના બીજ એવા છે જેને ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, અને તમે ગંભીર બીમારીમાં મુકાઈ શકો છો.



આ લેખમાં એવાં કેટલા ફળો અને શાકભાજીના બીજ વિશે વિશે જાણીશું જે ખાવાથી બીમારી થઈ શકે છે, જેવી કે જાડા, ઉલટી, પેટમાં ખેંચાણ, અને મોત પણ થઈ શકે છે. 


1. સફરજન ના બીજ.


સફરજન એક એવું ફળ જે બધાને ભાવતું હોય છે, પરંતુ કેટલીક વાર આપણે તેને ખાતી વખતે તેના બીજ પણ ગળી જઈએ છીએ, એક કે બે સફરજનના બીજ ગળવાથી કોઈ સમસ્યા નથી, પરંતુ જો વધુ પ્રમાણમાં સફરજનના બીજ ગળવાથી ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ શકો છો. કારણકે સફરજનના બીજમાં સાઈનાઈડ હોય છે જે આપણા શરીરને નુકસાન કરે છે જેનાથી પેટમાં ખેંચાણ, જાડા, ઉલટી, અને મૃત્યુ પણ થઈ શકે છે.


2. નાસપતિ ના બીજ.


આ પણ સફરજનના બીજ ની જેમ જ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ બીજમાં પણ સાઈનાઈડ હોય છે, આકસ્મિક રીતે નાસ્પતિ ના બીજ ખાવાથી જાડા,ઉલટી, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે. વધુ પડતા નાસ પતિના બીજ ખાવાથી, પરસેવો આવવા લાગે છે. થાક લાગે છે અને ક્યારેક કોમામાં જવાનો ભય રહે છે.


3. ટામેટાના બીજ.


વધુ પડતો ટામેટા ના બીજ નો ઉપયોગ ઝેર સમાન છે. જ્યારે પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય ત્યારે ટામેટા ના બીજ ખાવાથી બચવું, કારણ કે ટામેટા ના બીજ માં રહેલો ઓક્સાલેટ તત્વ કિડનીમાં ઘણુ કેલ્શિયમ સંગ્રહ કરે છે અને ધીમે ધીમે તે પથરીમાં ફેરવાય છે. ટામેટા ના બીજ ખાવાથી 

ડાયવર્ટિક્યુલાટીસનું જોખમ વધે છે, જે આંતરડામાં બળતરા પેદા કરે છે. ટામેટાની પ્રકૃતિ એસીડી હોય છે જેના કારણે તે હાર્ટ બર્નને વધારે છે. અને પાચનતંત્ર ને અસર કરે છે. 


4. પીચના બીજ ખાવાથી નબળાઈ આવે છે.


પીચ બીજમાં એમીગડાલીન અને સાયનોજેનીક ગ્લાયકોસાઇડ્સ જેવા ઝેરી પદાર્થો હોય છે જેને સેવન કરવાથી પેટમાં દુખાવો ગભરાટ જેવી નબળાઈઓ આવે છે ક્યારેક વ્યક્તિ કોમામાં પણ જતો રહે છે એટલા માટે આ બીજ ભૂલથી પણ ખાવા નહીં.


5. જરદાલુ બીજ.


આ પણ બીજ સ્વસ્થ માટે ઝેર સમાન છે. આ બીજમાં ઝેર સાયનોજેનિક ગ્લાયકોસાઈડ્સ અને એમીગડાલન જેવા તત્વો હોય છે અને તેને વધુ માત્રામાં ખાવાથી સફરજનના બીજ જેવી જ સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં નબળાઈ આવે છે ગમ ગભરાટ અનુભવાય છે આ બીજ વધુ માત્રામાં ખાવાથી જીવલેણ કોમા થઈ શકે છે.


6. ચેરીના બીજ.


ચેરી ખાવામાં સારી છે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે પરંતુ તેના બે જ ખૂબ જ નુકસાનકારક છે શેરીના બીજમાં સાઈનાઈડ સંયોજન હોય છે. જો વધુ પડતું ખાવામાં આવે તો પેટમાં ખેંચાણ જાડા જેવી અસર થાય છે. સફરજનના બીજ ની જેમ આપણું વધુ માત્રામાં ખાવાથી મૃત્યુ થઈ શકે છે.


7. બોરના બીજ.


બોરના બીજ ખૂબ જ સખત હોય છે અને તેને ખાવું એટલું સરળ નથી. આ બીજ પણ ખાવાથી પેટની અનેક બીમારીઓ થાય છે. બોર સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે ભૂલથી તેના બીજ ગળી લો અથવા ખાશો તો પણ તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે તેના બીજ પણ પેટમાં ઝેરની જેમ કામ કરી શકે છે.


8. આલુબુખારેના બીજ.


આલુબુખારે બાળકો અને લોકોને ખૂબ જ પસંદ હોય છે પરંતુ ધ્યાન રાખો કે તમારો બાળક ભૂલથી પણ આના બીજ ગળી જાય તો ગંભીર સમસ્યાઓ ઉદભવી શકે છે. આ બીજમાં એમિગડાલીન અને સાયનોજેનીક ગ્લાયકોસાઇડ્સ અને હાઈડ્રોજન સાઈનાઈડ હોય છે જે શરીરમાં ઝેરનું કામ કરે છે.


9. કોળાના બીજ.


કોળાના બીજ વજનમાં વધારે હોય છે. આ બીજી એનટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. બ્લડ પ્રેશરનું લેવલ ઘટાડે છે, કોળાના બીજમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત ફેટી ઓઈલ પણ તેમાં હોય છે. તે વધારે પ્રમાણમાં ખાવાથી જાડા, પેટનો દુખાવો, ખેંચાણ, સોજો, થવાની શક્યતા વધી જાય છે. સગર્ભા અથવા સ્તનપાન કરતી સ્ત્રીઓએ કોળાના બીજ ખાવાથી બચવું જોઈએ.


10. જેકફ્રૂટના બીજ.


જેકફ્રૂટમાં કેટલાક એવા તત્વો હોય છે. જે શરીર માટે નુક્સાનકારક હોય છે. દા.ત. ટ્રીપ્સીન, ટેટીન જેવા પદાર્થો શરીરનાં અમુક પોષક તત્વોના શોષણને અવરોધે છે. જેનાથી પેટ ખરાબ થઈ શકે છે. એટલા માટે જેકફ્રુટના બીજ ખાવાનું ટાળવું જોઈએ. જો કે જેકફ્રુટના બીજને ઉકાળીને અથવા આગ પર શેકવામાં આવે તો આવી વિરોધી પોષક તત્વો નાશ પામે છે અને પછી તે ખાવા લાયક બને છે.


11. સૂર્યમુખીના બીજ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.


વધુ પ્રમાણમાં સૂર્યમુખીના બીજ ખાવાથીપાંચ ક્રિયામાં તકલીફ થાય છે જેના કારણે પેટમાં દુખાવો, ઉલટી જેવી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર વધી શકે છે, કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે જે લોકોને એલર્જી સાથે અસ્થમા જેવી સમસ્યા હોય તેમણે સૂર્યમુખીના બીજથી ખાવાથી બચવું જોઈએ. પસૂર્યમૂખીના બીજમાં ફોસ્ફરસ હોય છે વધુ પડતા ફોસ્ફરસનું પ્રમાણ વધવાથી કિડનીને નુકસાન છે. આ સિવાય તન પાન કરાવતી સ્ત્રીઓએ અને ગર્વ અવસ્થા સ્ત્રીઓએ સૂર્યમુખીના બીજ ખાવાથી બચવું જોઈએ કારણકે તેની અસર ગરમ હોય છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન કરે છે.


12. રાસબરીના બીજ.


રાસબરી પેટ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો મધ્ય ભાગ ઘણો મોટો અને સખત હોય છે, પરંતુ કેટલીકવાર લોકો તેને ભૂલથી ગળી જાય છે. તમારા અથવા બાળકો દ્વારા કરવામાં આવેલી આ ભૂલ ખૂબ જ ભારે પડી શકે છે.




વિટામીન D વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.


Comments