- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
Meditation.
પ્રાચીન સમયમાં ઋચીમુનીઓ ખુબજ લાંબા સમય સુધી ધ્યાન કરી શકતા હતાં નિયમિત ધ્યાંન કરવાથી તેઓ માનસીક અને શારિરીક રીત સ્વસ્થ હતાં. પ્રાચીન ગ્રંથોમાં લખ્યું કે ધ્યાંન કરવાથી તમે આંતરિક શાંતીનો અનૂભવ કરી શકો છો. નિયમિત ધ્યાનથી મગજનો વિકાસ થાય છે. જેથી ધ્યાન કરનારા વ્યક્તિની વીચાર સરણી અલગ જ હોય છે. તેમનો IQ લેવલ સામાન્ય માણસોની સરખામણીમાં વધારે હોય છે.તેઓ માનસિક રીત સ્વસ્થ્ય હોય છે.
ધ્યાન શું છે ?
ધ્યાન એ એક પ્રેક્ટિસ છે જેમાં વ્યક્તિ ધ્યાન અને જાગૃતિને પ્રશિક્ષિત કરવા અને માનસિક રીતે સ્પષ્ટ અને ભાવનાત્મક રીતે શાંત અને સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરવા માટે - જેમ કે માઇન્ડફુલનેસ , અથવા મનને કોઈ ચોક્કસ ઑબ્જેક્ટ, વિચાર અથવા પ્રવૃત્તિ પર કેન્દ્રિત કરવા જેવી તકનીકનો ઉપયોગ કરે છે. ધ્યાન કરવાથી આપણા concentration માં વધારો થાય છે.
ધ્યાન કરવું શા માટે જરૂરી છે ?
આજના સમયમા લોકો ધ્યાનનો ઉપયોગ, ભટકતા મનને શાંત કરવા, કાર્ય ને યોગ્ય રીતે કરવા, લક્ષ્ય ને કે પોતાના સપનોને સાકાર કરવા માટે ધ્યાન કરતા હોય છે. આંતરિક શાંતી માટે, કેટલાક રોગો થી છૂટકારો મેળવવા માટે, સક્રિય રહેવા માટે ધ્યાન કરવું ખુબ જ જરૂરી છે.
ધ્યાન એ આંતરિક શાંતિ માટે નું સર્વશ્રેષ્ઠ સાધન છે. આંતરિક શાંતી એટલે માનસીક રીતે સ્વસ્થ્ય.જેમાં તણાવ, ડિપ્રેશન, ચિંતા, જેવી કોઈ પણ જાતની સમસ્યા હોઈ શકે નહી. માનસિક રીત સ્વસ્થતાનો અનૂભવ ધ્યાનથી મેળવી શકાય છે.
આપણાં મનમાં આવતાં વધું પડતાં વિચારો ને રોકવા માટે ધ્યાન જરૂરી છે. આપણું મન ચંચળ હોય છે. તેમાં અનેક વિચારો આવ્યા જ કરે છે. આથી આપણા મનમાં આવતાં વધું પડતા વિચારોને રોકવા માટે ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાનથી મગજમાં આવતાં વધું પડતા વિચારોને અટકાવી શકાય છે. આપણાં મનમાં આવતાં ખરાબ વિચારો દુર થાય છે. આપનાં વિચારવાની શક્તિ માં ધ્યાન કરવાથી પરિવર્તન આવે છે. આપણાં વિચારો ધ્યાન કરવાથી પોઝિટિવ બને છે. આથી પોઝિટિવ રહેવા માટે પણ ધ્યાન કરવું જોઇએ.
પોઝિટિવ વિચારો વ્યક્તિને સફળતાના દ્વાર સૂધી લઈ જાય છે. સારા વિચારો વ્યક્તિને હકારાત્મક બનાવે છે. આપણે જાણીએ જ છીએ કે વ્યક્તિ જેવુ વિચારે છે તેવુ તેની જોડે બનતું હોય છે. વ્યકિતના જેવા વિચારો તેવું તેનું વ્યક્તિત્વ બનતું હોય છે. જેથી સારા વિચારો વ્યક્તિને પોઝિટિવ રાખે છે.એકાગ્રતા માં વધારો થવાથી આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ એવું કહેવાય છે કે, મન પર કાબૂ કરવું બહુ મુશ્કેલ છે. કારણકે આપણાં મનમાં અનેક વિચારોની પ્રવાહ વહ્યાં કરતી હોય છે આપનું મન હવાથી પણ તેજ હોય છે. જેને કાબૂ કરવા માટે નીયમીત ઘ્યાન કરવુ જોઈએ મનને કાબૂ કરવા માટે ધ્યાન ખુબ જ જરૂરી છે. ધ્યાન દ્વારા જ મનને કાબૂમાં લાવી શકાય છે. કોઈ પણ વ્યક્તી પોતાના મનને કાબુમાં કરે તો તેને સફળતા સરળતાથી મળી જતી હોય છે. મનને કાબૂ કરવુ એટલે પોતાના વિચારો પણ પોતાના કાબૂમાં થઇ જતા હોય છે.
તણાવ, ડિપ્રેશન, ચિંતા, પૂર્વગ્રહ, વલણ જેવી માનસિક બીમારીઓથી બચવા માટે ધ્યાન કરવું જોઈએ, માનસિક બિમારી માણસને અંદર થી ખોખલો બનાવે છે. માણસ જ્યા સુધિ કોઈને કહે નહિ ત્યા સુધિ કોઈને આ બીમારીઓ વિશે ખબર પડતી નથી અને આ બીમારીઓથી માણસનું સ્વાસ્થ્ય બગડે છે. આ બીમારીને દૂર કરવા માટેનો સૌથી સરળ રસ્તો છે ધ્યાન, જેને કરવાથી આ બીમારી માંથી બહાર તો નીકળાય છે જ પણ આપનાં વ્યક્તિત્વમાં પણ અનેક પ્રકારના ફેરફાર થાય છે. નીયમીત Meditation કરવાથી માનસીક સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે. તણાવ, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યઓ નિયમિત ધ્યાન કરવાથી તે દૂર થાય છે. આપણે ચિંતા મુક્ત થઈએ છીએ. જે માનસીક રીતે આપણું સ્વાસ્થય સ્વચ્છ બનાવે છે.
ધ્યાન કરવાથી એકાગ્રતા માં વધારો થાય છે. આપણી ફોક્સ ની પ્રક્રિયામાં વધારો થાય છે. યાદશક્તિમાં પણ વધારો થાય છે. નિયમીત ધ્યાન કરવાથી આપણું મન શાંત રહે છે. જેથી Concentration માં ખુબજ વધારો થાય છે. કોઈ પણ માહિતી સરળ રીતે સમજી શકીએ છીએ, આપણી શીખવાની ક્રિયામાં વધારો થાય છે. યાદ શક્તિ માં વઘારો થાય છે. ધ્યાન કરવાથી આંખો દિવસ આપણાં મગજ માં સકારાત્મક વિચારો આવે છે. નિયમીત ધ્યાન કરવાથી સકારાત્મક ઊર્જા આપણાં શરીરમાં રહેતી હોય છે. જેથી કોઈ પણ કાર્ય આપણે સરળતા થી કરી શકીએ છીએ જો તમે સ્ટુડન્ટ છો તો તમારે દરરોજ 15 થી 30 મીનીટ ધ્યાન કરવુ જોઈએ.
નિયમિત ધ્યાન કરવાથી confidence માં વધારો થાય છે. આત્મવિશ્વાસ માં વધારો કરવા માટે ધ્યાન કરવું ખૂબજ જરૂરી છે. સફળતાના મેળવવા માટે આત્મવિશ્વાસ ખુબજ જરૂરી છે. આત્મ વિશ્વાસ સફળતાના દ્વાર સુધી લઈ જાય છે. આથી આત્મવિશ્વાસ વધારવા માટે પણ ધ્યાન કરવું ખૂબજ જરૂરી છે.
ધ્યાનથી Communication skill, IQ લેવલ માં વધારો થાય છે. કોઈ પણ સમસ્યા નું નીવારણ સરળતાથી લાવી શકીએ છીએ. નિયમિત ધ્યાન કરવાથી ગુસ્સો કન્ટ્રોલ કરી શકાય છે.આળસ ને પણ દૂર કરી શકાય છે. નીયમીત ધ્યાનથી આપણી ખરાબ આદતો દૂર થાય છે. અને સારી સારી આદતો આપણે કેળવતા હોઇએ છીએ.
ધ્યાન કરવાનો સમય.
નિયમિત ધ્યાન સવારે સૂર્ય ઉગે તેના પહેલા કરવું જોઈએ 4 કે 5 વાગ્યે ધ્યાન કરવાથી બ્રહ્માંડ માં રહેલી શક્તિનો પણ લાભ થાય છે અને આ સમય ધ્યાન માટે યોગ્ય હોય છે. કારણકે આ સમયે કોઈ પણ જાતનો ગોંઘાટ હોતો નથી જેથી વધુ ઘ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.
બેસવા માટે એવી જગ્યા શોધો જે તમને શાંત અને શાંત લાગે.
જો તમે હમણાં જ ધ્યાન કરવાની શરૂઆત કરી રહ્યાં છો, તો તમેં પાંચ કે દસ મિનિટ ધ્યાન કરો. અને ધીમે ધીમે નિયમીત રીતે સમયમર્યાદામાં વધારો કરો.
ધ્યાનની પોઝિશન.
ખુરશીમાં બેસી શકો છો, તમે ઢીલા પગે બેસી શકો છો, તમે ઘૂંટણિયે પડી શકો છો - બધું સારું છે. ફક્ત ખાતરી કરો કે તમે સ્થિર છો અને એવી સ્થિતિમાં તમે થોડા સમય માટે રહી શકો છો.
ઘ્યાન તમને યોગ્ય લાગે તેવી રીતે કરી શકો છો પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વધું સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે. તમે પદ્માસન ની સ્થિતીમાં ધ્યાન કરી શકો છો. તમારી કમર સીધી હોવી જોઈએ તમારા શરીરને ઢીલું મૂકવું જોઈએ. આકૃતિમાં માં બતાવ્યાં મુજબ તમારી સ્થિતિ હોવી જોઈએ.
તમારા શ્વાસની સંવેદનાને અનુસરો જેમ તે અંદર જાય છે અને બહાર જાય છે.
જયારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે આપણાં મનમાં અનેક વિચારો આવતા હોય છે જેનાથી આપણું ધ્યાન ભટકી જતું હોય છે જેથી ધ્યાન કરતી વખતે તમે તમારા શ્વાસ પર ધ્યા કેન્દ્રિત કરીને યોગ્ય રીતે ધ્યાન કરી શકો છો.
Personality વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો.
Comments
Post a Comment